કેજરીવાલ સાથે હાર્દિકવાળી થઈ: રોડ શો દરમિયાન મરાયો તમાચો, ભારે હંગામો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોડ શો દરમિયાન તમાચો મારવાની ઘટના બનતા બારે હંગામો થયો છે. આ ઘટના દિલ્હીના મોતી નગરમાં બની છે. તમાચો મારનાર શખ્સને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કેટલાક સમય પહેલાં દિલ્હી સચિવાલયમાં તેમના પર મરચીનો પાઉડર ફેંકવામાં આવ્યો હતો. કેજરીવાલ મુખ્યમંત્રી છે અને તેમની સુરક્ષાને લઈ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

કેજરીવાલ સાથે બનેલી ઘટના ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સાથે પણ બની હતી. મોરબીમાં હાર્દિક પટેલને એક યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા સ્ટેજ સુધી ધસી આવી ભાષણ કરી રહેલા હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ હાર્દિક અને કોંગ્રેસાન કાર્યકરોએ એ યુવાનને એવી તો ધોલધપાટ કરી હતી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિકે પણ યુવાન સામે પોલીસ ફરીયાદ દાખલ કરી હતી.