રાફેલ ડીલની રિવ્યુ પીટીશન ફગાવી દેવા સુપ્રીમ કોર્ટને સરકારની અરજ

રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ રિવ્યુ પીટીશન્સ અંગે કેન્દ્ર સરકારે આજે એફિડેવિટ રજૂ કરી છે. એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે સુરક્ષા સંબંધિત દસ્તાવેજો જાહેર થવાથી દેશની સુરક્ષાને ખતરો ઉભો થયો છે. કોર્ટ દ્વારા રાફેલ ડીલના દસ્તાવેજોના પરીક્ષણ કરવાના નિર્ણયથી સલમાતી, આર્મીની સુરક્ષા. પરમાણુ સંસ્થાનો અને આતંકવાદ વિરુદ્વના ઉપાયો સહિતની ગુપ્ત સૂચનાઓ જાહેર થવાની આશંકા વધી જવા પામી છે.

સરકારે જણાવ્યું કે રાફેલ ડીલ અંગેની પુનર્વિચાર અરજી મારફત ડીલની હરતી-ફરતી તપાસની કોશીશ કરવામાં આવી છે. મીડિયામાં પ્રસિદ્વ થયેલા ત્રણ આર્ટીકલ એ લોકોના વિચાર છે, સરકારનો ફેંસલો નથી, ત્રણેય આર્ટીકલ સરકારના રવૈયાને અધિકારીક રીતે સ્પષ્ટ કરતા નથી.  કોર્ટને કેન્દ્ર સરકારે કહ્યું કે આ માત્ર અધિકારીઓના વિચાર છે, જેના આધારે સરકાર કોઈ મોટો નિર્ણય કરી શકે. સીલબંધ કવરમાં સરકારે કોઈ ખોટી જાણકારી આપી નથી. કેગ દ્વારા રાફેલના ભાવ સંબંધે તપાસ કરીને કહ્યું છે કે આ ડીલ 2.86 ટકા ઓછી છે. કેન્દ્ર સરકારે રાફેલ અંગેના તમામ પુરાવા આપવા તૈયાર છે. રાફેલ પુનર્વિચાર અરજીઓનો કોઈ આધાર નથી જેથી કરીને આ અરજીઓને ફગાવી દેવામાં આવે.

અત્રે નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાફેલ ડીલ જેવા મામલે ભાવ-તાલની સમીક્ષા કરવાનું કામ કોર્ટનું નથી. હવે કોર્ટ આ અંગે છઠ્ઠી તારીખે સુનાવણી કરશે.