શાસ્ત્રી ભવનમાં આગ, રાહુલ બોલ્યા “ફાઈલો સળગાવી દેવાથી બચી નહીં શકો”

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટનાને લઈ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે ટવિટ કરીને કહ્યું કે મોદીજી, ફાઈલોનું સળગવું પણ તમને બચાવી શકે એમ નથી. તમારા ચૂકાદાનો દિવસ નજીક છે.

જણાવી દઈએ કે આજે સવારે શાસ્ત્ર ભવનમાં આગ લાગી ગઈ હતી. છઠ્ઠા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સાત ગાડીઓ શાસ્ત્રી ભવન પહોંચી હતી અને થોડા કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટનાને લઈ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટારગેટ કરી ટવિટ કર્યું અને તે અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રિએક્શન પર જોવા મળ્યા હતા.

ટવિટર પર એક જણાએ લખ્યું કે રંગા-બિલ્લાના કૂકર્મો અને પાપનો ઘડો ભરાઈ ગયો છે. નવી સરકાર બનતા આ બન્નેને જેલમાં નાખી દો. તો એક યૂઝર્સે લખ્યું કે હવે ભ્રષ્ટ ચોકીદારની વિદાયને કોઈ અટકાવી શકે એમ નથી.

નોંધનીય થે કે શાસ્ત્રી ભવનમાં પહેલી વખત આગ લાગી નથી. આ પહેલાં પણ પાછલા વર્ષે શાસ્ત્રી ભવનમાં એર કન્ડીશનમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હતી. પોલીસે કહ્યું છે કે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. 2104માં પણ શાસ્ત્રી ભવનમાં આગ લાગી હતી.