PM મોદીનો મોટો દાવો: બંગાળના 40 MLA છે મારા સંપર્કમાં, દીદીનું બચવું મુશ્કેલ

વડાપ્રધાન મોદીએ પ.બંગાળના શ્રીરામપુર ખાતે રેલીને સંબોધન કર્યું અને મમતા બેનરજી પર આક્રમક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે દીદી હું તમારો આભારી છું. તમે જેટલા પણ રસગૂલ્લા બનાવીને મોકલશો અને તેમાં 50-100 પથ્થર આવશે તો તમારા ગુંડાઓ નિર્દોષ લોકોને મારવામાં ઉપયોગમાં લે છે તો એ પથ્થર મને મોકલશો જો ઓછામાં ઓછા એટલા લોકોના માથા ફૂટતા બચી જશે.

તમારા ધારાસભ્યો પણ તમને છોડીને ભાગી જશો. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દીદી તમારું બચવું મુશ્કેલ છે.23મી મે પછી દાદીના પગ નીચેથી જમીન ખસી જશે. કારણ કે તમે વિશ્વાસઘાત કર્યો છે. દીદી કહે છે કે મને માટી અને પથ્થર સાથેના લાડુ મોકલશે. માટીના રસગૂલ્લા મારા માટે આશિર્વાદરૂપ છે. જે માટી પર રામકૃષ્ણ પરહંસ જન્મ્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ્યા તેમની ચરણરજ બંગાળની ધરતી પડી છે તેના રસગૂલ્લા મારા માટે પવિત્ર પ્રસાદ બની રહેશે.મારું ભાગ્ય ખૂલી જશે. મારા માટે પવિત્ર છે, મારે માટે માટી પ્રેરણા છે. ઉર્જા છે.