રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. આજથી એટલે કે 13 એપ્રિલથી બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ રહ્યા છે. સૌ પહેલા રણબીર કપૂરના વાસ્તુ અપાર્ટમેન્ટમાં ગણેશજીની પૂજા થશે અને ત્યાર બાદ મહેંદી સેરેમની યોજાશે. આજથી 43 વર્ષ પહેલાં ઋષિ-નીતુએ આ જ દિવસે સગાઈ કરી હતી.
રણબીરના પરિવારના સભ્યો, તેની માતા સહિતનીતુ કપૂરઅને બહેનરિદ્ધિમા કપૂર સાહની, આરકેના ઘરની બહાર જોવા મંળ્યા હતા. સાથે ભત્રીજી સમારા પણ હતી. કપલે પહેલા રણબીરના પિતા સ્વર્ગસ્થ ઋષિ કપૂર માટે ખાસ ગણેશ પૂજા કરવાનું નક્કી કર્યું છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી સેરેમની શરૂ થઈ ગઈ છે. આ વિધિ મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં પૂર્ણ થવાની છે. કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અયાન મુખર્જી સહિત તમામ મહેમાનો વાસ્તુ એપાર્ટમેન્ટ પહોંચી ગયા છે. બાકીના મહેમાનો પણ ધીમે ધીમે આવી રહ્યા છે. લોકો હંમેશા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્ન કરતા જોવા માંગતા હતા. હાલમાં, તેમના લગ્નની તારીખ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, કપલ આજે સોશિયલ મીડિયા દ્વારા તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ઇલા અરુણે સફેદ સાડીમાં આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન સાથેનો ફોટો શેર કર્યો છે. સોની રાઝદાનનો આ ફોટો શેર કરતી વખતે ઈલાએ તેને ‘સાસુ મા’ કહી છે. ઇલાએ લખ્યું- અમારી સોની સાસુ મા બની રહી છે. મહેશ ભટ્ટ અને પ્રિય સોની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને તથા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંનેને આશીર્વાદ આપે.