ગુજરાતમાં કોરોનાનાં નવા 1540 કેસ, કુલ કેસ 201949, વધુ 14નાં મોત, કુલ મૃત્યુઆંક 3906

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 1540 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો વધીને 201949 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3906એ પહોંચ્યો છે. જ્યારે 1283 લોકોએ પાછલા ચોવીસ ક્લાકમાં કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં 91,459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશન 326, સુરત કોર્પોરેશન 221, વડોદરા કોર્પોરેશન 128, રાજકોટ કોર્પોરેશન 69, રાજકોટ 58, બનાસકાંઠા 57, સુરત 56, પાટણ 49, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશન 42, વડોદરા 41, ગાંધીનગર 39, ખેડા 30, જામનગર કોર્પોરેશન 29, પંચમહાલ 27, અમરેલી 26, ભરૂચ 26, મોરબી 24, અમદાવાદ 23, સાબરકાંઠા 21, આણંદ 20, સુરેન્દ્રનગર 20, કચ્છ 19, મહીસાગર 18, ભાવનગર કોર્પોરેશન 16, દાહોદ 16, જામનગર 15, જુનાગઢ કોર્પોરેશન 12, ગીર સોમનાથ 9, બોટાદ 8, જુનાગઢ 8, નવસારી 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 6, છોટા ઉદેપુર 5, નર્મદા 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, વલસાડ 3 કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં પાછલા ચોવીસ ક્લાક રાજ્યમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, બોટાદ 1 અને વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,83,756 નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,287 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 96 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,191 સ્થિર છે.