ગુજરાતમાં કોરોનાનાં નવા 1021 કેસ, કુલ કેસ 1,66,254, વધુ 6નાં મોત, કુલ મૃત્યુઆંક 3682

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 1021 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાનાં દર્દીઓનો કુલ આંકડો વધીને 1,66,254 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુઆંક વધીને 3682 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 1013 લોકોએ પાછલા ચોવીસ કલાકમાં કોરોનાને પરાજ્ય આપ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.37 ટકા છે. સમગ્ર રાજ્યમાં 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,91,372 ટેસ્ટ કરાયા છે.

પાછલા ચોવીસ ક્લાક દરમિયાન રાજ્યના જિલ્લાઓમાં સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 164, વડોદરા કોર્પોરેશન 75, સુરત 69, રાજકોટ કોર્પોરેશન 67, વડોદરા 42, રાજકોટ 36, જામનગર કોર્પોરેશન 35, મહેસાણા 29, સાબરકાંઠા 26, સુરેન્દ્રનગર 22, બનાસકાંઠા 20, અમરેલી 19, ભરૂચ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, મોરબી 15, પંચમહાલ 15, ગાંધીનગર 14, પાટણ 14, અમદાવાદ 13, કચ્છ 13, જામનગર 11, આણંદ 10, ગીર સોમનાથ 10, ખેડા 10, નર્મદા 10, ભાવનગર કોર્પોરેશન 9, દાહોદ 9, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 9, છોટા ઉદેપુર 8, ભાવનગર 6, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 5, અરવલ્લી 4, બોટાદ 4, નવસારી 3, પોરબંદર 3, તાપી 3, ડાંગ 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં પાછલા ચોવીસ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, સુરત 1 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,48,858 નાગરીકો સાજા થઈ ગયા છે. હાલ 13,987 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 71 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,916 સ્થિર છે.