કેન્સરને હરાવતો સંજય દત્ત: બાળકોના બર્થ ડે ટાણે પોસ્ટ શેર કરી કહી આવી વાત

બોલિવૂડના જાણીતા અભિનેતા સંજય દત્ત છેલ્લા કેટલાક દિવસોથી કેન્સર અને તેની સારવાર અંગે ચર્ચામાં હતો. ચાહકોએ પણ તેની સારવાર અંગે તેને વહેલી તકે ઠીક થવાની ઇચ્છા કરી હતી. આ બધામાં વિશેષ વાત એ છે કે સંજય દત્તે આ રોગને હરાવી દીધો છે અને તેણે આ અંગેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શેર કરી છે. સંજય દત્તે તેના બાળકોના જન્મદિવસ પર ખુલાસો કર્યો કે તે સ્વસ્થ થઈ ગયો છે. આ સાથે તેણે તેના ચાહકો અને ડોક્ટર સેવંતીનો પણ આભાર માન્યો છે જેમણે કોકિલાબેન હોસ્પિટલમાં તેની સંભાળ લીધી હતી.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “છેલ્લા કેટલાક અઠવાડિયા મારા અને મારા પરિવાર માટે ખૂબ મુશ્કેલ હતા. પરંતુ એવું કહેવામાં આવે છે કે ભગવાન તેમના શક્તિશાળી સૈનિકોને કઠિન પરીક્ષા લે છે. અને આજે બાળકોના જન્મદિવસ પર આ વિશેષ પ્રસંગે, હું આ યુદ્ધ જીતીને ખૂબ જ ખુશ છું અને હું તેમને શ્રેષ્ઠ ઉપહાર આપવા માટે સક્ષમ છું, જે મારા પરિવારનું સ્વાસ્થ્ય અને સંભાળ છે, આ બધું તમારા વિશ્વાસ અને ટેકા વિના શક્ય ન હોત. હું વ્યક્તિગત રીતે મિત્રો, શૂભેચ્છકો, અને પ્રશંસકોનો આભારી છું કે જેઓ આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા અને મારી શક્તિનો સ્રોત બન્યા. તમે મને જે પ્રેમ અને આશીર્વાદ આપ્યો છે તે બદલ તમારો આભાર. ”

 

View this post on Instagram

 

My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્તે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, “હું ખાસ કરીને ડો.સેવંતી અને તેની ટીમ, કોકિલાબેન હોસ્પિટલના નર્સ અને મેડિકલ સ્ટાફનો આભારી છું, જેમણે પાછલા અઠવાડિયામાં મારી સારી સંભાળ લીધી. આભાર.” તમને જણાવી દઈએ કે ચાહકો પણ સંજય દત્તની આ પોસ્ટ વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે, સાથે સાથે તેની રિકવરીની ઉજવણી પણ કરી રહ્યા છે. અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ કેજીએફ પાર્ટ-2 માં જોવા મળશે.