અનુરાગ કશ્યપ અને પાયલ ઘોષના વિવાદમાં ગુજરાતના આ જાણીતા ક્રિકેટરનું નામ સામે આવ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો દાવો

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ડિરેક્ટર સામે અભિયાન શરૂ કર્યું છે. તે ટ્વીટ કરીને અને અનેક ચોંકાવનારા દાવા કરીને ફિલ્મ નિર્માતાને સતત તેના નિશાન પર લઈ રહી છે. હવે આ વિવાદમાં તેણે  ગુજરાતી પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. પાયલના જણાવ્યા અનુસાર, તેણે અનુરાગ સાથેના વિવાદ અંગે ઇરફાન પઠાણ સાથે વાત કરી હતી.

પાયલ-અનુરાગ વિવાદમાં ઇરફાન પઠાણની એન્ટ્રી

પાયલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ઇરફાન પઠાણ સાથેની તેમની વાતચીત વિશે જણાવ્યું છે. પાયલના જણાવ્યા મુજબ તેણે બળાત્કારના મામલે ઇરફાન સાથે વાત કરી નહોતી, પરંતુ અનુરાગ વિશે ઘણું કહ્યું હતું. તે ટ્વીટ કરીને લખે છે – મેં ઇરફાન પઠાણને કહ્યું નહોતું કે અનુરાગ કશ્યપે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ મેં ઇરફાનને તેની સાથેની મારી વાતચીત વિશે બધું કહ્યું. તે બધું જાણે છે, પરંતુ હમણાં તેઓ કંઈ જ બોલી રહ્યા નથી. તેઓ મારા સારા મિત્ર હોવાનો દાવો કરે છે.

 

પાયલે પોતાની ટ્વિટમાં ભારપૂર્વક જણાવ્યું છે કે તેણે ઇરફાન પઠાણ સાથે બળાત્કાર અંગે વાત કરી નથી. અન્ય એક ટ્વિટમાં તે લખે છે – ઇરફાન પઠાણને ટેગ કરવાથી એનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ બળાત્કાર નહીં પણ મેં તેની સાથે બધું શેર કર્યું છે. મને ખાતરી છે કે તેઓ બધું કહેશે જે મેં તેમને જણાવ્યું હતું.