આવતીકાલથી અમદાવાદનાં આ BRTS રૂટ પર બસો પુનઃ શરૂ થશે, આ ઝોનમાં નહીં દોડે બસો

અમદાવાદમાં પહેલી જુન એટલે કે આવતીકાલથી BRTS સવારના 7 થી સાંજના 7 સુધી આ રૂટ પર પુનઃ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય અંગે માહિતી આપી હતી.

આ રૂટ પર દોડશે બસો

  • ઝુંડાલથી LD કોલેજ,ગોતાથી LD કોલેજ
  • ભાડજ ગામથી જુના વાડજ અને ગોતાથી નહેરુનગર રૂટ
  • RTO થી ઇસ્કોન સર્કલ રૂટ અને નરોડાથી નારોલ રૂટ
  • ઓઢવ રીંગરોડથી અજિત મિલ ચાર રસ્તા રૂટ

બીજી તરફ અમદાવાદમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા નિર્ધારિત રૂટ પર બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પણ અમદાવાદના મધ્ય અને દક્ષિણઝોનમાં BRTSની બસોને દોડાવવામાં આવશે નહીં.