લૉકડાઉનઃ બિહારી યુવાનો સુરતમાં ફસાયા,સરકારને મદદ માટે અપીલ કરી

કોરોના વાયરસના લઈને સુરતમાં કાપડ ઉધોગ કામ કરતા બિહારના યુવાનો પાસે ખાવા પીવાનો સામન નથી અને સામાનની ખરીદી કરવા રૂપિયા નથી તયારે મુશ્કેલીમાં જીવી રહેલા 120 યુવાનોએ ગુજરાત સરકાર અને બિહાર સરકાર પાસે મદદ માંગી છે અને તેમને વતન જવાની વ્યવસ્થા કરીઆપવા રજૂઆત કરી છે. આ યુવાનોનું કહેવું છે કે ઘરમાં રાશન નથી, રાશન ખરીદવાના પૈસા પણ નથી, વતનમાં જવા વાહન નથી આ સ્થિતિમાં તેઓ ભૂખ્યા તરસ્યા હોવાના કારણે મદદની અપીલ કરી છે.

કોરોના વાયરસ લઈને ભારત માં 21 દિવસ લોકડાઉન આપવામા આવેલ છે ત્યારે ગુજરાત સુરત માં કાપડ માર્કેટ કામ કરતા બિહાર ના યુવાનો હાલત દિવસે ને દિવસે બગડી રહી છે કારણકે કોરોના વાઇરસ ને લઈને પહેલાં કાપડ માર્કેટ માત્ર પાંચ દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી હતી જેને લઈને માલિકો દ્વારા પાંચ દિવસના ખર્ચનાં રૂપિયા આપવામાં આવ્યા હતા.

પણ કાપડ માર્કેટ ના બંધ થયાના ત્રીજા દિવસે મોદીજીએ 21 દિવસ લોકડાઉન જાહેરાત કરતા આ યુવાનો હાલત બગડી ગઈ હતી. કારણકે તેમની પાસે ખર્ચના પાંચ દિવસ રૂપિયા પુરા થવા આવ્યા છે કોરોના ને લઈને માલિક પરિવાર સાથે વતન જતા રહ્યા છે જે દુકાન માથી રાશન એક મહિનાની ક્રેડિટ પર આવતું હતું તે દુકાન બંધ છે ત્યારે હવે આ યુવાનો પાસે નથી ખાવા પીવાનો સામાન કે નથી રૂપિયા.

બીજી બાજુ વતનમાં તેમનો પરિવાર ચિંતા કરી રહ્યો છે, ત્યારે વતન જવા માટે કોઈ ટ્રેન નથી. 120 યુવાનો દ્વારા ગુજરાત સરકાર અને બિહાર સરકારને તેમની મદદ કરવા સાથે તેમણે પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવા માટે મદદની ગુહાર લગાવી છે જોકે આ યુવાનો માટે બિહારના પૂર્વ મુખ્ય મંત્રી લાલુ યાદવ ના પુત્ર તેજસ્વી યાદવ દ્વારા ટવિટ કરી ગુજરાતના મુખ્યમંત્રીને મદદ માટે રજૂઆત કરવામાં આવી છે.