શું ધોરણ એકથી નવ અને 11નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? શું છે હકીત છે, જાણો

કોરોના વાયરસના કારણે ઉદ્દભવેલી વિષમ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા અનેક ઈમરજન્સી નિર્ણયોની જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે હવે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી હોવાનું સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે આ જાહેરનામું હાલ પ્રસિદ્વ કરવામાં આવ્યું નથી. એટલે માસ પ્રમોશનના સમાચારો અંગે રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જે ન્યૂઝ વાયરલ થયા છે તે ખોટા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સરકારે જણાવ્યું છે કે કોરોના રોગચાળાની સ્થિતિને ધ્યાને લઈને ઘોરણ એકથી નવના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. શિક્ષકોને પણ સ્કૂલમાં જવાની જરૂર નથી. આ ઉપરાંત જૂન મહિનાથી જ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ આ ઉપરાંત ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે.