ત્રીજા તબક્કામાં ઝડપથી ફેલાય છે કોરોના: લોકડાઉનને અનુસરો, ભંગ કરનાર સામે આકરા પગલા

ગુજરાતમાં કોરોના વાયરસ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂકયો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજયો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.

ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના 18 કેસ હતાં જે આજે 30 થયા. એટલે કે એક જ દિવસમાં 12 કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં અકીલા તે એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આ સાથે એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો  એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. 31 માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં  ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શકયતા છે.

તેમણે કહ્યું કે રાજયમાં અનેક ઠેકાણે લોકડાઉનનો છડેચોક ભંગ, બજારો ખુલ્લા, હોટલો ખુલ્લી, પોલીસે કહ્યું-કાર્યવાહી થશે આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જનતા કર્ફ્યૂમાં એકતાના દર્શન થયાં. જે કેસ વધી રહ્યાં છે તે અમદાવાદ વડોદરા અને સુરતમાં વધી રહ્યાં છે. એક એક માણસ કેટલા લોકોના સંપર્કમાં આવે તેનો હિસાબ મળતો નથી. રાજકોટમાં કેસ છે પણ એ વ્યકિત જેટલાને મળ્યાં એ બધાને કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો આપણા ત્યાં પોઝિટિવ કેસો એકદમ વધી જાય તો હોસ્પિટલો બેડ તમામ જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે પણ એનો વ્યાપ વધે નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે અને વ્યાપ વધે તો પરિસ્થિતિ આપણા કાબૂમાં આવી જાય અને મુશ્કેલી પડી શકે છે.

તેમણે જણાવ્યું કે31 માર્ચ સુધી બિન જરૂરી આવશ્યક લોકો ઘરની બહાર નીકળે તે ખૂબ જરૂરી છે. રૂપાણીએ કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સમજદારીપૂર્વક લડવાની જરૂર છે. ગુજરાતના વહીવટીતંત્ર ભૂતકાળમાં અનેક આપત્તિઓ સામે ઝઝૂમ્યું છે અને આ પ્રકારની તૈયારી અત્યારે પણ ગુજરાત સરકારની છે. અત્યારે તો 25 તારીખ સુધી જ લોકડાઉન કર્યું છે પણ કેસોની સંખ્યાના આધારે આગળ લઈ લેવામાં આવશે. ખાસ કરીને વૃદ્ઘોની વધારે ચિંતા કરવાની જરૂર છે.