ગુજરાત રાજ્યસભાની ચૂંટણી, કોંગ્રેસમાં પાટીદારો આકરા પાણીએ, શક્તિસિંહને પણ બનવું છે સાંસદ

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસમાં ધમધમાટ ચાલી રહ્યો છે.. બંને પક્ષમાં નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના ત્રણ સાંસદ શંભુ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે.

કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને ફરીથી ટિકિટ આપીને રાજ્યસભામાં મોકલે તેવી શક્યતા છે. પણ ભાજપના નિવૃત્ત થઈ રહેલા ત્રણેય સાંસદોમાંથી કોઈને રીપિટ નહીં કરીને નવા ચહેરાને સ્થાન આપશે તેવી શક્યતા છે. જોકે ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. કેમકે ધારાસભ્યોના સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવાર જીતશે. પરંતુ ભાજપ તેનો ત્રીજો ઉમેદવાર જીતે તેવા બનતા તમામ પ્રયાસોમાં છે.કોંગ્રેસની બીજી બેઠક માટે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ દાવો કરી રહ્યાં છે. પરંતુ તેમની સામે પક્ષમાં જ વિરોધ હોવાથી હાઈકમાન્ડ કદાચ તેમને ટિકિટ ન આપે તેવી પણ શક્યતાઓ છે.

કોંગ્રેસના એક ઉમેદવારની જીત તો નિશ્ચિત છે. પણ બીજો ઉમેદવાર ઊભો રખાશે. ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ જોઈએ તો ભાજપના 103 અને કોંગ્રેસના 73 ધારાસભ્યો છે. તો બીટીપીના-2, એનસીપીના અને અને અપક્ષ એક ધારાસભ્ય છે. મોરવાડ હડફ અને દેવભુમિ દ્વારકા વિધાનસભાની બેઠક ખાલી છે. રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીનું 6 માર્ચે જાહેરનામું બહાર પડશે. 13 માર્ચ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 26 માર્ચે મતદાન અને સાંજે પાંચ વાગ્યા બાદ મત ગણતરી થશે.

શક્તિસિંહ ગોહિલ હાલમાં બિહાર અને દિલ્હીની બેવડી જવાબદારી સંભાળી રહ્યાં છે.ગુજરાતમાં પક્ષવારની સ્થિતિ જોઈએ તો ભાજપના 103 ધારાસભ્યો સામે કોંગેસ પાસે 73 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્યો આ ચૂંટણીમાં બીટીપી ભાજપને ટેકો આપી શકે છે. ગત રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

મોરવા હડફ અને દેવભૂમી દ્વારકા વિધાનસભાની બેઠક હાલમાં ખાલી છે.રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો આકરા પાણીએ જોવા મળ્યા. બે ઉમેદવાર પૈકી એક ઉમેદવાર પાટીદાર સમાજનો ચહેરો હોવાની માગણી કરી છે. જે મામલે કોંગ્રેસના 14 પાટીદાર ધારાસભ્યોની ખાનગી બેઠક મળી હતી. જેમાં રાજ્યસભામાં ઘણા સમયથી પાટીદાર સમાજને કોંગ્રેસે તક ન આપ્યાની ચર્ચા કરવામાં આવી હતી. જે મામલે પ્રભારી રાજીવ સાતવ સમક્ષ પાટીદાર ધારાસભ્યો આગ્રહપૂર્વક રજુઆત કરશે.