દેશના પાટનગર દિલ્હીમાં સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ) અને એનઆરસી સામે વિરોધ પ્રદર્શન આજે પણ યથાવત રહ્યું હતું અને તેના કારણે જાફરાબાદ સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. ગોકુલપુરીમાં આ લખાય છે ત્યારે ધમાલ ચાલી રહી છે અને ત્યાં એક પોલીસ કર્મીનું મોત થયું છે. સાથે જ એક ડીએસપી સહિત કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો મળ્યા છે.
सभी दिल्लीवासियों से अपील है कि शांति बनाए रखें. हिंसा में सबका नुक़सान है. हिंसा की आग सबको ऐसा नुक़सान पहुँचाती है जिसकी भरपाई कभी नहीं हो पाती.
— Manish Sisodia (@msisodia) February 24, 2020
જાફરાબાદ અને મોજપુરમાં રવિવાર રાત્રે ઘણી ધમાલ થઇ હતી, ત્યાં સીએએનો વિરોધ કરનારા અને સીએએના સમર્થકો સામસામે આવી જતાં ધમાલ થઇ હતી અને તેના કારણે ઘણાં ઠેકાણે હિંસાચાર થયો હતો, સોમવારે ગોકુલપુરામાં થયેલી ધમાલમાં એક ડીસીપી ઘાયલ થયા હતાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં ઓછામાં ઓછા 100 સ્થળે હિંસાની ઘટનાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.