પાકિસ્તાની મુળના ગાયક અદનાન સામીનેં પદ્મશ્રી એવોર્ડ આપવાથી જાગેલા રાજકીય ધમાસાણમાં બસપાના સુપ્રીમો માયાવતીએ હવે એન્ટ્રી કરી છે. માયાવતીએ કહ્યું છે કે જો પાકિસ્તાની મુળના ગાયકને નાગરિકતા મળી શકે અને સન્માન મળી શકે તો પાકિસાતાની મુસ્લિમોને પણ સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ) હેઠળ દેશમાં શરણું મળવું જોઇએ. માયાએ કેન્દ્રની મોદી સરકારને સીએએ પર આ મામલે પુનર્વિચાર કરવાની વણમાગી સલાહ પણ આપી છે.
पाकिस्तानी मूल के गायक अदनान समी को जब बीजेपी सरकार नागरिकता व पद्मश्री से भी सम्मानित कर सकती है तो फिर जुल्म-ज्यादती के शिकार पाकिस्तानी मुसलमानों को वहाँ के हिन्दू, सिख, ईसाई आदि की तरह यहाँ CAA के तहत पनाह क्यों नहीं दे सकती है? अतः केन्द्र CAA पर पुनर्विचार करे तो बेहतर होगा
— Mayawati (@Mayawati) January 28, 2020
માયાવતીએ ટિ્વટ કરીને લખ્યું છે કે પાકિસ્તાની મુળના ગાયક અદનાન સામીને જ્યારે ભાજપ સરકાર નાગરિકતા અને પદ્મશ્રીથી પણ સન્માને છે તો પછી જુલમ અને જબરદસ્તીના શિકાર બનેલા પાકિસ્તાની મુસ્લિમોને ત્યાંના હિન્દુ, શીખ, ખ્રિસ્તીની જેમ અહીં સીએએ હેઠળ શરણુ કેમ ન મળી શકે. કેન્દ્ર સીએએ પર પુનર્વિચાર કરે તો તે વધુ સારું ગણાશે. એ ઉલ્લેખનીય છે કે અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાતા કોંગ્રેસમાં પણ બે ભાગલા પડ્યા છે, ત્યારે માયાવતીનું આ નિવેદન એક નવો વળામક આણી શકે છે.