મોદી સરકાર દેશભરમાં NRC લાગુ કરાવવાની વાત કરી રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહે સંસદ અંદર ખુલ્લઆમ જાહેરાત કરી છે, આવા સંજોગોમાં માનવામાં આવે છે કે નાગરિકતા સુધારા અધિનિયમ બાદ હવે આ સરકારનું આગળનું પગલું NRCની અમલવારી કરવાનું રહેશે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે NRCની અમલવારી કરાવવાની સરકારની જીદ અંગે લખ્યું કે જો આસામમાં ત્રણ કરોડ લોકોમાં NRC લાગુ કરવા માટે 1600 કરોડ લાગે તો 130 કરોડ લોકો માટેનો ખર્ચો 70 હજાર કરોડ થવા જાય છે. ભાજપના જણાવ્યા મુજબ ત્રણ કરોડ ઘુસણખોરો મળી આવે અને તેમને “ડિટેન્શન સેન્ટર” માં રાખવામાં આવે તો વાર્ષિક આશરે 3.65 લાખ કરોડ ખર્ચ થઈ શકે છે. સેન્ટરોના નિર્માણનો ખર્ચ અલગ થાય છે. આ ગાંડપણ નથી તો શું છે?
असम में 3 करोड़ लोगों के बीच NRC कराने में 16 सौ करोड़ लगे 130 करोड़ लोगों की NRC में 70 हज़ार करोड़ रुपये खर्च होंगे,अगर भाजपा के मुताबिक़ ३ करोड़ घुसपैठिया मिले,उनको “डिटेन्शन सेंटर” में रखा गया तो सालाना लगभग 3.65 लाख करोड़ खर्च होगा, निर्माण खर्च अलग,ये सनक नही तो और क्या? pic.twitter.com/peTWmJJ1UT
— Sanjay Singh AAP (@SanjayAzadSln) December 21, 2019
નોંધપાત્ર વાત એ છે કે મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલને સફળતાપૂર્વક પસાર કરી દીધું અને રાષ્ટ્રપતિની મહોર બાદ હવે કાયદો બની ગયો છે.