આશા પારેખ કરતાં હતા પરિણીત પુરુષને પ્રેમ, પણ નહીં કર્યા લગ્ન, કારણ જાણો

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખે લગ્ન ન કરવાના નિર્ણય અંગે કેટલીક નહીં સાંભળેલી  વાતો જણાવી છે. શા માટે સિંગલ લાઈફ જીવવાનું પસંદ કર્યું અને લગ્ન નહીં કર્યા તે અંગે તેમણે દિલ ખોલીને વાતો કરી હતી.

આશા પારેખના યુવાનીકાળમાં એક્ટર્સ સાથે ઠગાઈના અનેક કિસ્સા બન્યા હતા અને પત્નીઓને ઢેબે મારવામાં આવતી હતી. આવી સ્થિતિમાંથી આશા પારેખ પસાર થયા હતા અને તેઓ અન્ય સ્ત્રીને આવી રીતે વિપરીત અને દુખી દશામાં જોવા માંગતા ન હતા.

ખરેખર, આશા પારેખે વર્વ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન લગ્ન સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મારા જીવનનો સૌથી સારો નિર્ણય સિંગલ રહેવાનો છે. હું એક પરિણીત પુરુષ સાથે પ્રેમમાં હતી, પરંતુ હું ઇચ્છતી નહોતી કે હું ઘરને તોડનાર સ્ત્રી બનું. તેથી મારી પાસે એક પસંદગી હતી કે મારે એકલા રહેવું જોઈએ અને મેં આખું જીવન આ રીતે જ જીવ્યું છે.

પોતાની બાયોગ્રાફી ધ હિટ ગર્લમાં આશા પારેખે જણાવ્યું છે કે તેમણે સ્વાભિમાનને અગ્રીમતા આપી. પસંદ કર્યો. આ પુસ્તકમાં આશા પારેખે લખ્યું છે કે, ‘તે દિગ્દર્શક નાસીર હુસેન સાથે પ્રેમમાં હતી, પરંતુ નાસીર હુસેન પરિણીત હોવાથી આશા પારેખ તેમનાથી અંતર રાખવાનું પસંદ કરતા હતા.

તેમણે કહ્યું કે લગ્ન કરવાને બદલે તે ખુદની સાથે સમય ગાળવાનું પસંદ કરે છે અને બે મિત્રો વહીદા રહેમાન અને હેલેન સાથે ફરવાનું પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, 77 વર્ષીય આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942માં મુંબઇમાં થયો હતો. તે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. આશા પારેખે લગભગ 80 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે જ સમયે, એકમાત્ર લેખક અને દિગ્દર્શક નાસીર હુસેન સાથે એક અભિનેત્રી તરીકે સાત ફિલ્મો દિલ દે કે દેખો (1959), જબ પ્યાર કિસી સે હોતા હૈ (1961), ફિર વહી દિલ દિલ લાયા હૂં (1963), તીસરી મંઝીલ (1966), બહારોં કે સપને ( 1976), પ્યાર કા મૌસમ (1969) અને કારવાં (1971)નો સમાવેશ થાય છે. તતેમણે નાસીર હુસેનની ફિલ્મ મંઝિલ-મંઝિલ (1984)માં પણ એક ભૂમિકા ભજવી હતી. 1992માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.