શિવસેનામાં ટવિસ્ટ: ઉદ્વવ ઠાકરેને CM બનાવવાની માંગ

મહારાષ્ટ્રમાં હજી સુધી મંથન ચાલી રહ્યું છે. અગાઉ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મૌખિક યુદ્ધ ચાલતું હતું, હવે ભાજપ-શિવસેના-એનસીપી-કોંગ્રેસ માટે સરકાર બનાવવાની રાજકીય ખેંચતાણ તીવ્ર બની છે. રવિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક મળી હતી, પરંતુ આ વખતે કંઈક નવું થયું. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે અગાઉ શિવસેના સતત આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહી હતી.

શિવસેનાના ધારાસભ્યો મુંબઈની હોટલ રીટ્રીટમાં રોકાયા છે, જ્યાં ઉદ્ધવ ઠાકરે રવિવારે બધાને મળવા પહોંચ્યા હતા. જ્યારે ઉદ્ધવ મીટિંગમાં પહોંચ્યા ત્યારે તેઓ તેમની પત્ની સાથે હતા. જ્યારે બેઠક શરૂ થઈ ત્યારે ધારાસભ્યોએ સરકારની રચના અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને આ વખતે આદિત્ય ઠાકેર નહીં પરંતુ ઉદ્વવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ શરૂ થઈ.

મીટિંગમાં ઉભી થયેલી આ માંગ પૂર્વે, રવિવારે જ ઉદ્ધવને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે મુંબઇની શેરીઓમાં પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ની બહાર શિવસેના સમર્થકોએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

મુખ્યમંત્રી પદ માટે શિવસેના વતી ભારતીય જનતા પાર્ટી સાથે ચર્ચા ચાલી રહી હતી. શિવસેના સમર્થકોની માંગ હતી કે આ વખતે શિવસેના મુખ્યમંત્રી હોવા જોઈએ. આ દરમિયાન, આદિત્ય ઠાકરેના સમર્થનમાં પોસ્ટરો અને નિવેદનો જોવા મળ્યા. જોકે, હવે અચાનક જ આદિત્યનું નામ છોડીને ઉદ્ધવ ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદ પર કેવી રીતે આવ્યું તે અંગે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી.