મધ્યપ્રદેશ: રીવામાં બજરંગ દળના કાર્યકરનું ગળું રહેંસી હત્યા

સોમવારે મધ્ય પ્રદેશના રીવામાં ગોવિંદગઢ પોલીસ સ્ટેશનની ગલ્લા મંડી માર્કેટમાં યુવકની ગળું રહેંસીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે રાત્રે આ હત્યાકાંડ બાદ વિસ્તારમાં આક્રોશ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ મૃતક વિકાસ ગુપ્તા બજરંગદળ સાથે સંકળાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જોલીધો હતો. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક વિકાસ ગુપ્તા તેની દુકાન પર બેઠો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દુકાનમાં ઘૂસી ગયા હતા અને વિકાસનું ગળું દબાવ્યું હતું અને તેની હત્યા કરી હતી. વિકાસ સ્ટેશનરીની દુકાન ચલાવતો હતો. હત્યાનું કારણ હજી જાણવા મળ્યું નથી. આ ઘટનાથી નારાજ પરિવારના સભ્યો અને વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું અને તેનો વિરોધ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.