ત્રિશુલીયા ઘાટ અક્સ્માત:  PM મોદી, HM અમિત શાહ અને CM વિજય રૂપાણીએ ટવિટ કરી શોક દર્શાવ્યો

બનાસકાંઠા નજીક અંબાજી-દાંતા હાઈવે પર ત્રિશુલીયા ઘાટ પર થયેલા અક્સ્માતમાં 21થી વધુ મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અક્સ્માત અંગે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવિટ કરી ઘટના અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે બનાસકાંઠાથી આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. અક્સ્માતમાં માર્યા ગયેલા લોકો માટે ઉંડા શોકની લાગણી અનુભવું છું અને પરિવારજનોને સાંત્વા અને ઈશ્વર શક્તિ આપે તેની કામના કરું છું. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સંભવિત તમામ મદદ કરવા તંત્ર કરે અને ઈજાગ્રસ્તો વહેલા સાજા થાય.

ગૃહમંત્રી અમિત શાહે માર્યા ગયેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું કે ગમ્ખ્વાર અક્સ્માતમાં માર્યા ગયેલો લોકો માટે આઘાતની લાગણી અનુભવું છું. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને તાકીદની તમામ મદદ કરવા માટે સૂચના આપી છે.

મુખ્મંત્રી વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પાસે  યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી છે.

તેમણે આ અકસ્માતમાં જાન ગુમાવનારા કમનસીબ મુસાફર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને દિલસોજી પાઠવી છે. મુખ્મંત્રીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જિલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે.