પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા 42 સૈનિકોની યાદમાં લુપ્ત થતાં 42 રોપાઓનું વાવેતર

યુનાઇટેડ નેશનની સામાન્ય સભાએ 1987માં મોટ્રેલ પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ જાહેર કરવામાં આવ્યો હતો,અને સૌ પ્રથમ 1995માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેથી ઓઝોન શું છે,તેની જાગૃતા કેળવવા માટેના પ્રયાસો અને ઓઝોન અવક્ષયના પરિણામે નીલાન્તીત કિરણોમાં વધુ સંપર્કમાં આવવાથી ત્વચાનું કેન્સર,મોતીયો,વનસ્પતિ અને મનુષ્યજીવને નુકસાન ગંભીર પરિણામોની સાવચેત કરવા,ઓઝોન છિદ્ર અને ઓઝોન અવક્ષય વિષે જાગૃતા ફેલાવવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે બીજી બાજુ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલા મોરીયાણા નર્સરી ખાતે પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા 42 સૈનિકોની યાદ 42 લુપ્ત થઇ રહેલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને મૌન પાળીને તમામ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. નેત્રંગ વનવિભાગના દ્વારા ભારતવર્ષની સુરક્ષા માટે શહીદ થયેલા સૈનિકોની યાદમાં રુપ્ત થઇ રહેલા 42 રોપાનું વાવેતર એક પ્રેરણાદાયી નવતર પહેલ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારની પ્રજામાં ચર્ચા મુદ્દો બન્યો હતો.

વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પહેલ નેત્રંગ તાલુકાની તમામ સરકારી કચેરીઓ,ધામિૅક સંસ્થાઓ અને સામાજીક આગેવાનો માટે પ્રેરણાસ્ત્રોત ગણવામાં આવી રહી છે,જે દરમ્યાન નેત્રંગ મામલતદાર બી.કે તડવી,આરએફઓ સરફરાઝ ઘાંચી,પોલીસકર્મી કમલેશ સુથાર,બાર એસોસિએશન પ્રમુખ સ્નેહલ પટેલ,પ્રદીપ ગુજ્જર અને અતુલ પટેલ સહિત પયૉવરણ પ્રેમીઓ જોડાયા હતા.