કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન અકળાયેલું છે. આખી દુનિયામાં ઢંઢેરો પીટવા છતાં કોઈ ભાવ આપતું નથી. બધેથી પછડાટ મળ્યા બાદ તે હવે સરહદો સળગાવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં ગત 10-11 સપ્ટેમ્બરના રોજ કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનના બે સૈનિકોને પણ ઠાર કર્યાં. ત્યારબાદથી પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું અને તે ભારતીય સેનાને સફેદ ઝંડો બતાવીને પોતાના સૈનિકોના મૃતદેહ લઈ ગયું. પણ આમાં પીઓેકેના જવાનોના મૃતદેહ લઈ જવામાં આવ્યા ન હતા અને પાકિસ્તાનના પંજાબના સૈનિકોના મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ હાજીપુર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ 10 અને 11 સપ્ટેમ્બરની રાતે ખુબ ગોળાબારી કરી. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની હાલત બગાડી નાખી. ભારતી સેનાની જડબાતોડ કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો થયો. ભારતની જબરદસ્ત કાર્યવાહીથી પાકિસ્તાનના હોશ ઉડી ગયા અને પોતાના સૈનિકોના મૃતદેહો પાછા લઈ જવાની કોશિશ કરવા લાગ્યું. પરંતુ ભારતીય સેનાની આકરી કાર્યવાહીના કારણે એલઓસી પર પડેલા પોતાના સૈનિકોના મૃતદેહો તે લઈ જઈ શકતું નહતું.
ત્યારબાદ પાકિસ્તાની સેનાના અધિકારીઓનું મગજ ઠેકાણે આવ્યું અને તેમના તરફથી સૈનિકોના હાથમાં સફેદ ઝંડો થમાવી દેવાયો. ત્યારબાદ તે પોતાના સૈનિકોના મૃતદેહો ઉઠાવવા લાગ્યાં. ભારતીય સેનાએ માનવતા દર્શાવતા તેમના સૈનિકોના મૃતદેહો લઈ જવા દીધા.