PM મોદીની રેલીમાં બંદોબસ્ત માટે ગયેલા હેડ પોલીસ કોન્સ્ટેબલની હત્યા

PM મોદીની રેલીમાં બંદોબસ્ત માટે ગયેલા હેડ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી છે. માહિતી મુજબ હે.પોકો પ્રદીપની હત્યા ઈંટ અને પથ્થર મારીને કરવામાં આવી છે. માથામાં કાંચની બોટલ મારવામાં આવી હોવાનું પણ જણાઈ આવી રહ્યું છે. હત્યાનું કારણ જાણી શકાયું નથી. રોહતકમાં પ્રદીપ પીએમ મોદીની રેલી દરમિયાન બંદોબસ્ત માટે ગયો હતો.

પોલીસ વડા રાહુલ શર્માએ જણાવ્યું કે એવું લાગે છે કે ફરીદાબાદના હેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપનો શનિવારે રાત્રે કોઈની સાથે ઝઘડો થયો હતો. આ શખ્તે પ્રદીપને માથા પર બોટલ મારી દીધી. ઘટના સ્થળ પરથી નમૂના એકત્ર કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. હત્યાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રદીપ ગુરુગ્રામના બજેડા ગામનો રહેવાસી હતો અને 2013માં કોન્સ્ટેબલ બન્યો હતો. પોલીસ પ્રવક્તા સૂબેસિંહે કહ્યું કે હત્યાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને હત્યારાઓ કોણ હતા તેમને ઓળખી કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.