મોદી સરકારનો ફેંસલો: પાકિસ્તાન જતા પાણી પર લાગશે રોક

કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંગ શેખાવતે કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાકિસ્તાન જતા પાણી પર રોક લગાવશે. તેમણે કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે સિંધુ જળ સંધિ સિવાયનું જેટલું પણ પાણી પાકિસ્તાનમાં જાય છે તેની સપ્લાય અટકાવી દેવામાં આવશે.

ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે જે સિંધુ વોટર ટ્રીટી થઈ હતી તેના કરતાં વધુ પાણી ભારતની નદીઓમાંથી પાકિસ્તાન તરફ ચાલ્યું જાય છે. તેને અટકાવવામાં આવશે.

જળ સંસાધન મંત્રીએ કહ્યું કે અમે અમારા હકનું પાણી અટકાવીને ખેડુતોને પોતાના દેશમાં વીજળી ઉત્પન્ન કરવા માટે અને પીવા માટે વાપરીશું અને આમાં કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં.

તેમણે કહ્યું કે પાણી વિભાગ આ અંગે ચકાસણી કરી રહ્યો છે અને વહેલામાં વહેલી તકે આને પૂર્ણ કરવામાં આવસે. આ સાથે જ પાકિસ્તાન તરફ જતા પાણીને અટકાવી વિકાસ પાછળ તેનો ઉપયોગ કરવામાં આવશે.

ગજેન્દ્રસિંહ શેખાવતે કલમ 370 અંગે પણ વાત કરી હતી અને કહ્યું કે મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે આ ભારતનો આંતરિક મુદ્દો છે. આમાં પાકિસ્તાને દખલ કરવાનો અધિકાર નથી.