ફરીથી સુરત પાસીંગની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે, સચીન-પલસાણા ટોલ પ્લાઝા પર લાગ્યું બોર્ડ

સુરતના સચીન-પલસાણા હાઈવે પર જવા માંગતા વાહનચાલકો માટે માઠા સમાચાર છે. સચીન-પલસાણા ટોલ પ્લાઝા પર સુરત પાસીંગની ગાડીઓને ટોલ ટેક્સ ભરવામાંથી મૂક્તિ આપવામાં આવી હતી પણ આજે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવાનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું હતું.

જ્યારે સચીન-પલસાણા ટોલ પ્લાઝા શરૂ કરવામા આવ્યો હતો ત્યારે પણ સુરત પાસીંગની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ લેવાના મામલે ભારે વિવાદ થયો હતો અને આંદોલનો થયા હતા. બાદમાં સુરત પાસીંગની ગાડીઓને ટોલ ટેક્સ ભરવામાંથી મૂક્તિ આપવામાં આવી હતી.

લાંબા સમય બાદ સચીન-પલસાણી ટોલ પ્લાઝા પર નવેસરથી બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે લખાયું છે કે GJ-5 અથવા સુરત શહેરમાં રજિસ્ટર્ડ થયેલા બિન વાણિજ્યિક વાહનોને (કાર, જીપ, વાન) 1-08-2019ના રોજથી એક તરફી વીસ રૂપિયા અને બેતરફી 30 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.  આ નિર્ણય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિના આધારે લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત બોર્ડ પર લખવામાં આવ્યું છે કે આ ટોલ ચાર્જ કંપનીને આર્થિક નુકશાન થતાં મંજુર કરવામા આવ્યું છે આ સિવાય જે લોકલ બિન વાણિજ્યિક વાહનો કાર, જીપ અને વાનના ચાલકો-માલિકો માસિક પાસ ઈચ્છતા હોય તો તેમને 265 રૂપિયામાં આ પાસ આપવામાં આવશે,