નહીં લાગે હવે કોઈ પણ મેળામાં રાઈડ: અમદાવાદના કાંકરીયા રાઈડની ઘટના બાદ મોટો નિર્ણય

અમદાવાદના કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા દરેક રાઈડની સંપૂર્ણ ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે તો સામે પક્ષે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા વળતો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમદાવાદમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા સખત નિયમો બનાવવામાં આવ્યા છે. જેના કારણે રાઈડનાં સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમો મુજબ મેળામાં રાઈડ મૂકવાનો રાઈડ સંચાલકો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માંગ મૂકી છે કે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે. જ્યાં સુધી નવા નિયમોમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી રાઈડ સંચાલકો ગુજરાતના કોઈ પણ મેળામાં રાઈડ મૂકશે નહીં.