જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસને હાથતાળી આપી એનસીપીએ ખોલાવ્યું ખાતું, ચાર સીટ કબ્જે કરી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે એનસીપીએ પગરણ માંડ્યા છે. એનસીપાના પ્રવક્તા અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલના એનસીપી જોઈન કર્યા બાદની આ ચૂંટણીમાં ચાર સીટ કબ્જે કરી છે.

જૂનાગઢના વોર્ડ નંબર-આઠની એનસીપીની આખી પેનલ વિજેતા થઈ છે. ભાજપના વિજય રથને એનસીપીએ વોર્ડ નંબર-આઠમાં અટકાવ્યો હતો. એનસીપીના કાર્યકરોએ વિજયને વધાવી લેવા માટે અબીલ,ગુલાલ અને આતશબાજી કરી હતી. રેશ્મા પટેલે જાતે ઢોલ વગાડ્યા અને વિજયની ઉજવણી કરી હતી.

પાછલા કેટલાક દિવસોથી જૂનાગઢમાં એનસીપીના સંગઠન માટે કામ કરી રહેલા રેશ્મા પટેલ અને કાર્યકારી પ્રમુખ બબલદાલ પટેલ તથા એનસીપી ગુજરાતના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ પેનલના વિજયન વધાવ્યો છે અને લોકોનો આભાર માન્યો છે.